અમૃત કળશ: ૩
મહિમા
વરતાલવાળા ધર્મતનયદાસજીએ પ્રશ્ન પૂછ્યો જે, “આજ સંબંધે કરીને નિર્ગુણ થઈ જાય છે તે આજ સંબંધ કેવો કેવાય?” ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો જે, “આજ પણ મહારાજના જેવો જ સંબંધ કેવાય ને એક આકાર વિના શું અધૂરું છે? મોટા સંતને રાખી ગયા છે તેની વાતુ છે, તેની અનુવૃત્તિ છે તે ભગવાનની આજ્ઞા છે. તેના મળેલ કેટલાક છે માટે હજી સુધી તો સાક્ષાત્ સંબંધ કહેવાય.” (૨૬)
પ્રકરણ/વાત: ૧૩/૧૮૦