ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૩૦

ચરિત્ર

... ગઢડાનું મંદિર ચણાતું હતું ત્યારે નિષ્કુળાનંદ સ્વામી માથે બેલું ઉપાડી નિસરણીએ ચડીને દેવરાજ કડીઆને આપવા ગયા. ત્યાં બારના ડંકા થયા એટલે નિષ્કળાનંદ સ્વામીએ કહ્યું કે, “આવે છે, હું લઈ આવ્યો છું, તે માંડીને પછી ઊતરો.” ત્યારે દેવરાજે તે બેલું હેઠે પાડી નીચે ઊતરી ગયો. પછી મહારાજ આગળ નિષ્કુળાનંદ સ્વામીએ રાવ કરી જે, “હું ચડીને બેલું આપવા ગયો તે બેલું હેઠું નાખી દઈ ઊતરી ગયો.” પછી મહારાજે તેને બોલાવી થાળ આપ્યો. ત્યારે નિકુળાનંદ સ્વામીએ કહ્યું કે, “એવાને શું થાળ આપ્યો?” ત્યારે મહારાજ કહે જે, “એવો છે તો પણ એ મંદિર કરશે પણ તમને કે મને ચણતાં નહિ આવડે. અને તે શું મુક્તાનંદ સ્વામી જેવો છે કે તેનો ધોખો કરીએ? આને જો વઢીએ તો મૂકીને વયો જાય. માટે એવાને તો થાળ આપવો જોઈએ.” (૨)

પ્રકરણ/વાત: ૧૦/૭૨

Vat Selection


Type: Keywords Exact phrase