ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૩૧

શ્રદ્ધા, ધીરજ

શૂરવીર, ડાહ્યો, ધીરજવાન ને બુદ્ધિવાન તો તેને કહીએ જે, જેણે જે વાત ધારી હોય તેમાં વિઘ્ન ન આવવા દે. તેમ મહારાજ ને આ સાધુનો એવો ઠરાવ કરવો. તેમાં નામીએ સહિત સર્વોપરી ઉપાસના, જ્ઞાન, ભજન-સ્મરણ સ્વામિનારાયણનું કરવું એવો ઠરાવ દૃઢ કરે તે ભક્ત ડાહ્યો છે. ને અક્ષરબ્રહ્મ જે આ સાધુ જેમાં અખંડ મહારાજ રહ્યા છે તેના સંબંધથી પોતે બ્રહ્મરૂપ થઈ મહારાજની અખંડ ઉપાસના કરવી એ ઠરાવ કરવાનું અનુસંધાન નિરંતર રાખવું. પણ મરતી મરતી કાન હલાવે તેમાં કાંઈ ન થાય. ને જેમ હાથીને નવરાવે પછી ધૂળ માથે નાખે તેમ બે દિવસ ધ્યાન-ભજન કર્યું ને પછી મૂકી દે, તે એવું કહેવાય. (૩)

પ્રકરણ/વાત: ૧૧/૧૮૮

Vat Selection


Type: Keywords Exact phrase