અમૃત કળશ: ૪
નિશ્ચય
રામોદના આયર પૂંજો ભગત પ્રથમ કુંકાવાવમાં રહેતા. ત્યાં દરબારના મહેતાએ આવીને કહ્યું જે, “સ્વામિનારાયણ નામ ન લેવું ને કંઠી કાઢી નાખો તો અહીં રહેવું; નીકર નહીં.” પૂજો ભગત કહે, “આ ચાલ્યા.” તે ગામ મૂકી રામેદ ગયા. ત્યાં બસેં માણસને પ્રભુ ભજવતા ને વાતો કરી સુખિયા રાખતા... (૧૧)
પ્રકરણ/વાત: ૧૧/૩૫