અમૃત કળશ: ૪
નિશ્ચય
સર્વે કરતાં આશરો બળવાન કહ્યો છે. કીડી ઉપર કે હોલી ઉપર પાણાની કાંકરી પડે તો તે મરી જાય ને હાથીને બળથી લાકડી મારીએ તો પણ તેને કાંઈ ન જણાય, તેમ સત્સંગે કરીને પાકો થયો તેને ભારે દેશકાળ આવે તો પણ તેને કાંઈ ગણે નહિ ને બીજા તો જરાકમાં લેવાઈ જાય. વશરામ સુતારનો બાપ બે આના હરિભક્ત હતો તો પણ તેણે કહ્યું જે, “શેરડી ને તલના દેહ આવ્યા હશે ત્યારે પિલાણા નહિ હઈએ?” માટે આ તો ભગવાન સારુ પિલાવું તેમાં તો ઘણું ઠીક છે. (૭)
પ્રકરણ/વાત: ૯/૩૧૫