ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૭

માન

કાયાભાઈની વાત કરી જે, દ્વેષીએ ખોરડું પાડી નાખ્યું ને માર્યા તો પણ ક્ષમા કરી ને કહે જે, “મે’માન આવ્યા છે તે નવરાવો ને જમાડો,” એવી વાતો કરતા. માટે ‘બાતનકી બાત તો બડી કરામત હે.’ તે વાતોમાંથી બધું થાય. ગઢડામાં કૂતરાને કાયાભાઈનું ઠેબું વાગ્યું. તે કૂતરે કાઉકારો કર્યો એટલે કાયાભાઈએ વિચાર કર્યો જે, મુક્તના ચરણની રજમાં પડ્યો છે તે બહુ મોટાં ભાગ્યવાળો હશે એમ મહિમા જાણીને દંડવત્ કર્યો. (૨૯)

પ્રકરણ/વાત: ૧૧/૪૦૧

Vat Selection


Type: Keywords Exact phrase