પ્રેમસખી પદાવલી
પ્રસ્તાવના
ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી પ્રસંગે એમનાં દિવ્ય જીવન અને કાર્યને, વિશાળ જનસમુદાય સુધી પહોંચાડવા બી.એ.પી.એસ. સંસ્થાની પ્રકાશન સમિતિએ પ્રકાશનોની એક વિસ્તૃત ચેજના ઘડી હતી. જેમાં એમનાં જીવન અને કવન–વચનામૃતોને મુખ્ય ભાષાઓમાં આવરી લેવાયાં. સાથે સાથે એમનાં ભક્તોનાં પ્રેરણાદાયક જીવનને પણ કેમ ભુલાય? એમના સંત-કવિઓએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. એમની કૃતિઓનું ગુજરાતી સાહિત્યના લબ્ધપ્રતિષ્ઠ કવિ અને લેખકો દ્વારા મૂલ્યાંકન કરતી શ્રેણી પણ પ્રગટ કરવાનું પ્રકાશન સમિતિએ નક્કી કર્યું.
દ્વિશતાબ્દી પ્રસંગે ‘પ્રેમસખી પદાવલી’ પ્રકાશીત થઈ, જેમાં પ્રેમાનંદ સ્વામીનું જીવન ચરિત્ર અને તેમનાં ચૂંટેલાં પદો વણી લેવામાં આવ્યાં. અનિર્દેશ દ્વારા પ્રેમાનંદ સ્વામીનાં પદો અહીં રજુ કરવામાં આવ્યાં છે.