॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

મત્સ્ય

અવતારો

મત્સ્યાવતાર એ વિષ્ણુના મુખ્ય દશ અવતારોમાંનો પહેલો અવતાર છે. તે તત્ત્વતઃ ઈશ્વરચૈતન્ય છે. ઈશ્વરચૈતન્યમાં પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણના અનુપ્રવેશથી આ અવતાર થાય છે.

બ્રહ્માજીની યોગનિદ્રામાં તેમના મુખમાંથી વેદો સરી પડ્યા. હયગ્રીવ નામનો દૈત્ય વેદોને લઈને પાતાળમાં જતો રહ્યો. આથી વેદોના ઉદ્ધાર માટે ભગવાને માછલીનું રૂપ ધારણ કર્યું અને હયગ્રીવને મારીને વેદ તેમને પાછા સોંપ્યા. રાજા વિવસ્વાનના પુત્ર સત્યવ્રત દ્વારા જીવસૃષ્ટિનું નિર્માણ કરવા ત્રિલોકના પ્રલય થકી તેની રક્ષા કરી. આ અવતાર મત્સ્યાવતાર તરીકે ઓળખાય છે. આ અવતાર કાર્તિક કૃષ્ણ ત્રીજના રોજ થયો હતો.

ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં જ્યારે હયગ્રીવની વાત કરી છે ત્યારે હયગ્રીવ નામનો અવતાર જાણવો, પરંતુ અહીં જે દૈત્યનો ઉલ્લેખ છે તે નહીં.

Matsya

Avatars

Matsya avatār is the first of the ten major avatārs of Vishnu. In terms of entities, Matsya incarnated from an ishwar. When Parabrahma Purushottam Narayan enters the ishwar entity, it is capable of incarnating as an avatār.

When Brahmāji was in his yog-nidrā (sleep), the Vedas slipped from his mouth. A demon named Hayagriva took them and hid in Pātāl. To save the Vedas, God incarnated as a fish, killed Hayagriva and returned the Vedas. The Matsya avatār also protected Satyavrat, son of King Vivasvān, from the destruction of the three worlds so that he can populate the earth again. This avatār was born on Kartik 3 of the Krishna paksha.

When Bhagwan Swaminarayan has mentioned Hayagriva in the Vachanamrut, it is the Hayagriva avatār, not the demon mentioned here.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા પ્રથમ-૭૮

  લોયા-૪

  લોયા-૭

  લોયા-૧૪

  લોયા-૧૮

  પંચાળા-૨

  પંચાળા-૪

  ગઢડા મધ્ય-૬૪

  ભૂગોળ-ખગોળ-૧

  અમદાવાદ-૪

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase