॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

નરનારાયણ ઋષિ

ઈશ્વરો

નરઋષિ અને નારાયણઋષિ, આ બે ઋષિઓ નરનારાયણ ઋષિ તરીકે ઓળખાય છે. નરનારાયણ ઋષિ તપસ્વીનું રૂપ ધારીને તેમના ધામ બદરિકાશ્રમમાં વાસ કરે છે. કૃષ્ણાવતારમાં નર તે અર્જુન અને નારાયણ તે કૃષ્ણ તરીકે પ્રસિદ્ધ છે. શ્રીજીમહારાજે બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે ૧૦ મૂર્તિઓની વાત કરી છે, તેમાં નરનારાયણ ઋષિ તે ૪ નિર્ગુણ મૂર્તિઓમાંની એક નિર્ગુણ મૂર્તિ છે. શ્રીજીમહારાજે અમદાવાદમાં નરનારાયણદેવની મૂર્તિઓ પધરાવી.

શ્રીજી મહારાજે પોતાનો ઉલ્લેખ નરનારાયણ તરીકે ઘણી વખત કર્યો છે, તે વધારાનાં વચનામૃતોમાં જોવા મળે છે. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી આનું રહસ્ય સ્વામીની વાતો ૬/૫૪માં જણાવે છે.

Narnārāyan Rishi

Ishwars

Nar Rushi and Nārāyan Rushi are known commonly as Narnārāyan Rushi. They have the form of ascetics and perform austerities in their abode Badrikāshram. During Krishna’s incarnation, Arjun was known as Nar and Krishna was known as Nārāyan. Shriji Maharaj talked about the 10 murtis in each brahmānd. Narnārāyan Rushi is considered one of the four nirgun murtis of the 10 murtis. Shriji Maharaj also installed Narnārāyan as Narnārāyan Dev in Amdavad.

On many occasions, especially in the additional Vachanamruts, Shriji Maharaj has referred to himself as Narnarayan. Gunatitanand Swami explains the reason in Swamini Vato 6/54.

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase