॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૨૩: પાણીનો ઘડો ઢોળ્યાનું, સ્થિતિમાં રહેવાનું

પ્રસંગ

સં. ૧૯૧૯ના ચૈત્ર સુદ પૂનમના સમૈયા માટે ગુણાતીતાનંદ સ્વામી વરતાલ જવા નીકળ્યા અને ગોંડળ પધાર્યા. ગોંડળ એક દિવસ રહીને સ્વામીશ્રી ત્યાંથી નીકળ્યા અને ઘોઘાવદર પધાર્યા. અહીં નદીને કાંઠે શિવના મંદિરમાં સ્વામીશ્રી ઊતર્યા. બપોરે થોડો આરામ કરતાં કરતાં જાગા ભક્ત પાસે વચનામૃત વંચાવતા હતા. તેમાં જાગા ભક્તે વચનામૃત ગઢડા પ્રથમ ૨૩, ગઢડા મધ્ય ૩૦ અને ૪૫, અમદાવાદ ૨ અને ૩ – આ પાંચ વચનામૃત વાંચ્યાં. તે સાંભળી સ્વામીશ્રી અતિશય રાજી થયા. પછી સ્વામી બોલ્યા, “અહો, આ વચનામૃત તો જાણે સાંભળ્યા જ નહોતાં.” એમ કહીને બોલ્યા, “એ વચનામૃત ફરીથી વાંચો.” એટલે જાગા ભક્તે ફરીથી વાંચ્યાં.

ત્યારે સ્વામી બોલ્યા જે, “આ વચનામૃત સાંભળતાં એમ જણાણું કે, કોટિ કલ્પ સુધી એમ કર્યા વિના છૂટકો નથી. તે આપણે તો કર્યા વિના છૂટકો નથી, પણ આચાર્ય હોય કે ભગવાનનો પુત્ર હોય કે ઈશ્વર હોય કે નાના-મોટા ભગવાન હોય, તેમને પણ એમ કર્યા વિના છૂટકો નથી. કેમ જે, તે પણ મહારાજનો જ મત છે.” તે ઉપરથી મહારાજના કહેલા શ્લોક બોલ્યા જે, ‘નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણમ્ ।’ તથા ‘બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિ ન કાઙ્ક્ષતિ ।’ તથા ‘પરિનિષ્ઠિતોઽપિ નૈર્ગુણ્યે ।’ તથા ‘આત્મારામાશ્ચ મુનયો ।’ એવા એવા ઘણા શ્લોકો બોલીને સ્વામીશ્રીએ કહ્યું, “આવો થાય ત્યારે તેના હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે.” એમ કહીને બહુ જ વાત કરી. પછી જાગા ભક્ત સામું જોઈને બોલ્યા, “તમારે મૂર્તિ તો છે પણ મંદિર વિના પધરાવશો ક્યાં? માટે ભગવાન પધરાવવા હોય તો આમાં કહ્યું એવું મંદિર કરવા શીખો, તો ભગવાન રહે.” એમ કહીને વાત કરી, “આ જૂનાગઢનું મંદિર કરાવ્યું ત્યારે અમે સાધુઓને મૂર્તિઓ લેવા ડુંગરપુર મોકલ્યા હતા. ત્યાં સલાટે તેમને પૂછ્યું, ‘કેવી મૂર્તિઓ કાઢી આપું?’ ત્યારે સાધુઓએ કહ્યું, ‘આ નકશા પ્રમાણે કાઢી આપો.’ એટલે સલાટે કહ્યું, ‘લાખો રૂપિયાનું મંદિર હોય તો આવી મૂર્તિઓ શોભે.’ પછી સાધુઓએ કહ્યું, ‘મંદિર પ્રમાણે જ મૂર્તિઓ લેવા આવ્યા છીએ.’ ત્યારે સલાટે કહ્યું, ‘તો કાઢી આપું.’ પછી સલાટે નકશા પ્રમાણે મૂર્તિયું કાઢી આપી.”

એમ કહી સ્વામીશ્રી બોલ્યા, “સલાટ પણ એટલું સમજ્યો જે બહુ ભારે મંદિર કર્યું છે. માટે આ વચનામૃતમાં કહ્યું છે તે પ્રમાણે મંદિર કરવા શીખો. માટે પુરુષોત્તમ પધરાવવા હોય તો બ્રહ્મરૂપ થાવું.” એમ કહીને ઊઠ્યા. પછી એક હરિજનનું કાંડું ઝાલીને ચાલ્યા. પછી તેને કહ્યું જે, “ખબરદાર સંકલ્પ કર્યા છે તો!” એટલે તેમના સંકલ્પ બંધ થઈ ગયા.

પછી સ્વામી બોલ્યા, “જો આમ ને આમ રહેવાય તો સંશયગ્રંથિ, કર્મગ્રંથિ, ઇચ્છાગ્રંથિ, મમત્વગ્રંથિ, હૃદયગ્રંથિ ને અહંગ્રંથિ આદિક અનેક પ્રકારની ગ્રંથિઓ નાશ પામી જાય છે ને નિરંતર ભગવાનમાં રહેવાય છે.”

[સ્વામીની વાતો: ૩/૧૩]

In Samvat 1919, Gunātitānand Swāmi started his journey toward Vartāl for the samaiyo of Chaitra sud 15 (Punam). He stayed one day in Gondal and then arrived in Ghoghāvadar, a village nearby. He stayed at the Shiv Mandir on the river bank. While resting in the afternoon, he had Jāgā Bhakta read the Vachanāmrut. Jāgā Bhakta read five Vachanāmruts: Gadhadā I-23, Gadhadā II-30 and 45, Amdāvād 2 and 3. Hearing these Vachanāmruts, Swāmi sat up and said, “It is as if I had never heard these Vachanāmruts.” He said, “Read them again.” Jāgā Swāmi read them again.

Then Swāmi said, “Listening to these Vachanāmruts, I have concluded that even after millions of years, without behaving in this way, there is no final release. So, for us, there is no alternative but to do this. Also, even if one is an āchārya, a son of Bhagwān, an ishwar, or some small or big deity, still there is no release without behaving in that way. Since, that is Mahārāj’s belief.” Based on this, Swāmi recited some couplets quoted by Mahārāj: ‘Nijātmānam brahmarupam…’, ‘Brahmabhutah prasannātmā…’, ‘Parinishthitopi nairgunye…’, ‘Atmāramāshcha munayo’.

After reciting many such couplets, he said, “When one becomes like this, then Bhagwān resides in one’s heart.” Then, looking at a devotee, he said, “You do have a murti, but without a mandir where will you install it? So, if you want to install Bhagwān, then learn to prepare a mandir as described here, then Bhagwān will stay.”

Then he continued, “When the sadhus went to get the murtis for this mandir (Junagadh), the sculptor asked, ‘What type of murtis shall I make for you?’ Then the sadhus said, ‘Make them according to these designs.’ Then the sculptor said, ‘These murtis are suitable only for a mandir worth hundreds of thousands of rupees.’ Then the sadhus said, ‘We’ve come to take murtis in accordance with such a mandir.’ So the sculptor said, ‘Then I’ll make them.’ Then the sculptor sculpted the murtis. Similarly, without becoming brahmarup where will we install Purushottam? So, if you want to install Purushottam, you have to become brahmarup.” Having said this, he got up. Then he held a devotee’s wrist and while walking told him, “Beware, never have any (worldly) desires.” Then that devotee’s desires stopped. And Swāmi said, “If one can remain like this all the time, doubts, strong attachments to one’s karma, desires, affection for worldly relations, body-consciousness, etc. and countless other strong material bonds are destroyed and one can continually stay focused on Bhagwān.”

[Swāmini Vāto: 3/13]

યોગી સ્મૃતિમંદિરના ખાતવિધિની સાંજે ગુણાતીત જન્મોત્સવ પણ ધામધૂમથી ઊજવાયો. તે સમયે અક્ષર મંદિરના ચોકમાં પૂર્વ દિશા તરફ ઠાકોરજીને પધરાવેલા. પાંચ આરતીનાં અર્ઘ્ય, કીર્તન-સંવાદોની પ્રસ્તુતિ, દૂધ-પૌંઆના પ્રસાદ અને સ્વામીશ્રીના આશીર્વાદને માણતી દસ હજારની ભક્તમેદનીએ આ ઉત્સવની દિવ્યતા માણીને એક જ અનુભવ ઉચ્ચાર્યો કે: “યોગીબાપા ગયા જ નથી.”

આ અનુભવ વિશેષ દૃઢ કરાવતાં, સ્વામીશ્રી તા. ૭/૧૦ની સવારે ગોંડલથી ઘોઘાવદર પહોંચ્યા. અહીં તેઓએ મંદિરમાં મૂર્તિઓની પુનઃપ્રતિષ્ઠા કરી. ત્યારબાદ ગામમાં વીસેક પધરામણીઓનો લાભ આપી ગુણાતીતાનંદ સ્વામીએ જ્યાં પાંચ વચનામૃતો વંચાવેલાં તે પ્રાસાદિક જગ્યાએ દર્શનાર્થે પધાર્યા.

ઘોઘાવદરથી બંધિયા પહોંચેલા સ્વામીશ્રીએ અહીં પણ પ્રાસાદિક વડ, વાવ, ડોસા વાણિયાનું ઘર, માઢ, મેડી, દુકાન વગેરેનાં દર્શન કરીને ગામના મંદિરમાં આરતી કરી. ત્યારબાદ અડધો કલાક સુધી સૌને કથાલાભ આપીને રાત્રે સાડા આઠ વાગ્યે ગોંડલ પધારી ગયા.

વચનામૃત ગઢડા પ્રથમ ત્રેવીસ, ગઢડા મધ્યનું ત્રીસ, ગઢડા મધ્ય પિસ્તાલીસ, અમદાવાદ ૨, અને તઅમદાવાદ ૩. જુઓ સ્વામીની વાત ૩/૧૩

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨/૬૪]

After the ground-breaking ceremony of Yogi Smruti Mandir, the birth of Gunatitanand Swami was celebrated the same night. After serving everyone dudh-pauva (milk and rice), Swamishri said in his blessings to 10,000 devotees present, “Yogi Bapa has not left.”

On October 7, 1971, Swamishri went to Ghoghavadar from Gondal. He installed the murtis here. After blessing about 20 devotees homes, he went for the darshan of the spot where Gunatitanand Swami had the five important Vachanamruts read.

Gadhada I-23, Gadhada II-30, Gadhada II-45, Ahmedabad-2 and Ahmedabad-3. See Swamini Vat 3/13

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2/64]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase