home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) ભાગ્ય જાગ્યાં રે આજ જાણવાં

સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

એક વાર કથા પ્રસંગમાં સ્વામીશ્રીએ કીર્તન ગાયું: ‘ભાગ્ય જાગ્યાં રે આજ જાણવાં...’ તેમાં કડી આવી: ‘મળ્યા હરિ મુખોમુખ...’

તરત જ સ્વામીશ્રીએ હરિપ્રસાદ ચોકસીને પૂછ્યું, “એ, ચોકસી સાહેબ! મળ્યા હરિ મુખોમુખ શું? પાંચસો પરમહંસને મળ્યા હતા એમ ને?” પછી સ્વામીની વાતો દૃષ્ટાંતો સાથે લાક્ષણિક અલમસ્તાઈમાં સમજાવવા લાગ્યા. “મહારાજનું પ્રગટપણું સંત દ્વારા અખંડ છે” તે વાત કરી, ‘શાંતિ પમાડે તેને સંત કહીએ...’ એ કીર્તન ગાયું. નિરૂપણ પણ એવી રીતે કર્યું, જેમાં સંતનો અપાર મહિમા આવે. આખી સભા દિંગ થઈ સાંભળી રહી હતી.

સભા પછી મોહનલાલ શ્રીજીના અને અભેચંદ ગાંધી સ્વામીશ્રી પાસે આવી પહોંચ્યા. કહે, “મહારાજના સમયમાં પાંચસો પરમહંસોની ખુમારી અને ભગવાન મળ્યાનો આનંદ આપણે સાંભળ્યો છે. તેવો આનંદ, સ્વામી! આપની પાસે આજે મૂર્તિમાન જણાય છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩/૯૮]

Prasang

(1) Bhāgya jāgyā re āj jāṇvā

Sadguru Nishkulanand Swami

Once during kathā, Yogiji Maharaj sang ‘Bhāgya jāgyā re āj jānavā’. The following line was sung: ‘Malyā Hari mukho-mukh’.

Immediately, Swamishri asked Hariprasad Choksi, “Choksi Saheb! What does ‘Malyā Hari mukho-mukh’ mean? The one that the five hundred paramhansas met?” Then, Swamishri explained the meaning through examples in Swamini Vato. He said, “Maharaj remains manifest through the Sant.” And then sang ‘Shānti pamāde tene sant kahiye...’ and explained it in such a way that the unparalleled greatness of the Sant resonated. The whole sabhā was astounded listening to Swamishri.

After the sabhā, Mohanlal Shrijina and Abhechand Gandhi came to Swamishri and said, “We have heard of the exhilarating joy and ecstasy the five hundred paramhansas experienced having attained God. Swami, we find the same exhilarating joy with you.”

[Brahmaswarup Yogiji Maharaj: Part 3/98]

 

પ્રસંગ

(૨) ભાગ્ય જાગ્યાં રે આજ જાણવાં

સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

મળ્યા હરિ મુખોમુખ

સારંગપુર, તા. ૩/૭/૧૯૮૧ના રોજ રથયાત્રાનો ઉત્સવ મંદિરના ઘુંમટમાં ધામધૂમથી ઊજવાયો. અહીં સ્વયંસંચાલિત રથ તથા પર્વત, ગુફા, ઘર વગેરેની અનુપમ શોભા રચીને સંતોએ રથયાત્રાને આબેહૂબ ખડી કરી દીધી. પ્રમુખસ્વામી મહારાજે રથારૂઢ ઠાકોરજીની આરતી ઉતારી. ગવૈયાઓએ ઉત્સવાનુરૂપ ભજનો ગાઈ મહારાજને રથવિહાર કરાવ્યો. જાંબુ તથા પલાળેલા મગ-ચણાનો પ્રસાદ વહેંચાયો.

આ ઉત્સવ બાદ સાયંકાળે સ્મૃતિમંદિરે પધારેલા પ્રમુખસ્વામી મહારાજ પ્રદક્ષિણા ફરીને મંદિરના નૈઋત્ય ખૂણામાં ખુરશી પર બિરાજ્યા. તે વખતે સંતોએ અંતરમાં ઊછળી રહેલો ભાવ કીર્તનગાન દ્વારા વહેતો કર્યો કે ‘ભાગ્ય જાગ્યાં રે આજ જાણવાં...’ સ્વામીશ્રી પણ શબ્દો અનુસાર લટકાં કરી સુખની લહાણ કરવા લાગ્યા. તેમાં જ પંક્તિ ગવાઈ કે ‘મળ્યા હરિ મુખોમુખ...’

ત્યારે હર્ષદભાઈએ પૂછ્યું, “બાપા! ‘મળ્યા હરિ મુખોમુખ એટલે શું?’ - આ પ્રશ્ન યોગીજી મહારાજને પૂછેલો તો તેમણે પોતાના સ્વરૂપની વાત કરેલી. પણ હવે શું સમજવું?”

“એ શબ્દો કાયમ માટે કહ્યા છે.” સ્વામીશ્રી બોલ્યા. પછી ઉમેર્યું, “મહારાજ એકાંતિક સંત દ્વારા પ્રગટ છે. મળ્યા એ સહજાનંદ સ્વામી છે. અહીં એની એ વસ્તુ છે. તેમના દ્વારા કલ્યાણ થયું છે તેમ સમજાય તો સમજ્યા કહેવાય. તેના ગુણ આપણામાં આવે તો મળ્યા કહેવાય. આવા શબ્દોનો વિચાર નિરંતર કરવો. એક-બે દિવસ નહીં.”

સ્વામીશ્રી આમ જ્યાં શબ્દોનાં રહસ્ય ખોલી રહેલા ત્યાં જ એકસાથે ઘણા મોરલા ગહેંકી ઊઠ્યા. તે સાંભળી સ્વામીશ્રીએ કહ્યું, “પ્રગટ ભગવાનની વાત થઈ તો પંખીઓ પણ ખુશ થયાં ને મોરલાએ પણ પ્રગટ ભગવાનની વાતને ટેકો પુરાવ્યો.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪/૪૨૦]

Prasang

(2) Bhāgya jāgyā re āj jāṇvā

Sadguru Nishkulanand Swami

We Met God Face-to-Face

July 3, 1981. Sarangpur. After celebrating the Rath Yatra festival, Pramukh Swami Maharaj arrived at the Smruti Mandir and performed pradakshinās. He then sat on a chair in a scenic corner. The sadhus sang the kirtan ‘Bhāgya jāgyā re āj jānavā’. The line ‘malyā Hari mukho mukh’ was sung.

Harshadbhai asked, “Bapa, when Yogiji Maharaj was asked what ‘malyā Hari mukho mukh’ meant, he revealed his own form [meaning that Maharaj is manifest through him]. What should we understand now?”

Swamishri replied, “Those words are forever.” Then added, “Maharaj is manifest through the Ekāntik Sant. The one we met is Sahajanand Swami. When we believe we have been liberated through him, then we have understood what we need to understand. When we imbibe his qualities, then we can say we have met him. We should think about these words constantly. Not for one or two days.”

As Swamishri was revealing these truths, some peacocks made their calls. Hearing their calls, Swamishri said, “Even the birds are pleased because we talked about the manifest form of God. These peacocks support the talks of the manifest.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4/420]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase