॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

221

गुर्वाश्रयविरोधी यो वैदिकशास्त्रखण्डकः।

भक्तिमार्गविरोधी स्यात् तस्य सङ्गं न चाऽऽचरेत्॥ २२१॥

GUJ

જે મનુષ્ય ગુરુશરણાગતિનો વિરોધ કરતો હોય, વૈદિક શાસ્ત્રોનું ખંડન કરતો હોય, ભક્તિમાર્ગનો વિરોધ કરતો હોય તેનો સંગ ન કરવો. (૨૨૧)

ENG

One should not associate with those who oppose taking refuge in a guru, Vedic texts or the path of bhakti. (221)

222

बुद्धिमानपि लोके स्याद् व्यावहारिककर्मसु।

न सेव्यो भक्तिहीनश्चेच्छास्त्रपारङ्गतोऽपि वा॥ २२२॥

GUJ

કોઈ મનુષ્ય લોકમાં વ્યાવહારિક કાર્યોમાં બુદ્ધિવાળો હોય અથવા શાસ્ત્રોમાં પારંગત પણ હોય, તેમ છતાં પણ જો તે ભક્તિએ રહિત હોય તો તેનો સંગ ન કરવો. (૨૨૨)

ENG

One should avoid the company of a person who is devoid of devotion, even if such a person is intelligent in worldly activities or learned in the shastras. (222)

223

श्रद्धामेव तिरस्कृत्य ह्याध्यात्मिकेषु केवलम्।

पुरस्करोति यस्तर्कं तत्सङ्गमाचरेन्नहि॥ २२३॥

GUJ

આધ્યાત્મિક વિષયોમાં શ્રદ્ધાનો જ તિરસ્કાર કરી જે મનુષ્ય કેવળ તર્કને જ આગળ કરતો હોય તેનો સંગ ન કરવો. (૨૨૩)

ENG

One should not associate with those who ridicule faith in spiritual matters and promote logic alone. (223)

224

सत्सङ्गेऽपि कुसङ्गो यो ज्ञेयः सोऽपि मुमुक्षुभिः।

तत्सङ्गश्च न कर्तव्यो हरिभक्तैः कदाचन॥ २२४॥

GUJ

મુમુક્ષુ હરિભક્તોએ સત્સંગમાં રહેલ કુસંગને પણ જાણવો અને ક્યારેય તેનો સંગ ન કરવો. (૨૨૪)

ENG

Mumukshu devotees should also recognize kusang within satsang and should never associate with it. (224)

225

हरौ गुरौ च प्रत्यक्षे मनुष्यभावदर्शनः।

शिथिलो नियमे यश्च न तस्य सङ्गमाचरेत्॥ २२५॥

GUJ

જે મનુષ્ય પ્રત્યક્ષ ભગવાનમાં અને ગુરુમાં મનુષ્યભાવ જોતો હોય અને નિયમ પાળવામાં શિથિલ હોય તેનો સંગ ન કરવો. (૨૨૫)

ENG

One should avoid the company of those who are lax in observing niyams or see human traits in the manifest form of Bhagwan or the guru. (225)

226

भक्तेषु दोषदृष्टिः स्याद् अवगुणैकभाषकः।

मनस्वी यो गुरुद्रोही न च तत्सङ्गमाचरेत्॥ २२६॥

GUJ

જે મનુષ્ય ભક્તોમાં દોષ જોનાર, અવગુણની જ વાતો કરનાર, મનસ્વી અને ગુરુદ્રોહી હોય તેનો સંગ ન કરવો. (૨૨૬)

ENG

One should avoid the company of those who perceive drawbacks in devotees, speak only ill of others, are wilful or disobey the guru. (226)

227

सत्कार्यनिन्दको यश्च सच्छास्त्रनिन्दको जनः।

सत्सङ्गनिन्दको यश्च तत्सङ्गमाचरेन्नहि॥ २२७॥

GUJ

જે મનુષ્ય સત્કાર્ય, સચ્છાસ્ત્ર તથા સત્સંગની નિંદા કરતો હોય તેનો સંગ ન કરવો. (૨૨૭)

ENG

One should not associate with those who defame noble works, sacred texts or satsang. (227)

228

वचनानां श्रुतेर्यस्य निष्ठाया भञ्जनं भवेत्।

गुरौ हरौ च सत्सङ्गे तस्य सङ्गं परित्यजेत्॥ २२८॥

GUJ

જેની વાતો સાંભળવાથી ભગવાન, ગુરુ તથા સત્સંગને વિષે નિષ્ઠા ટળતી હોય તેનો સંગ ત્યજવો. (૨૨૮)

ENG

One should shun the company of those whose words weaken one’s conviction in Bhagwan, the guru or satsang. (228)

229

भवेद् यो दृढनिष्ठावान् अक्षरपुरुषोत्तमे।

दृढभक्तिर्विवेकी च कुर्यात् तत्सङ्गमादरात्॥ २२९॥

GUJ

જેને અક્ષરપુરુષોત્તમને વિષે દૃઢ નિષ્ઠા હોય, દૃઢ ભક્તિ હોય અને જે વિવેકી હોય તેનો સંગ આદર થકી કરવો. (૨૨૯)

ENG

One should respectfully associate with a person who has firm devotion and conviction in Akshar-Purushottam and who is discerning. (229)

230

हरेर्गुरोश्च वाक्येषु शङ्का यस्य न विद्यते।

विश्वासुर्बुद्धिमान् यश्च कुर्यात् तत्सङ्गमादरात्॥ २३०॥

GUJ

ભગવાન તથા ગુરુનાં વાક્યોમાં જેને સંશય ન હોય, જે વિશ્વાસુ હોય, બુદ્ધિમાન હોય તેનો સંગ આદર થકી કરવો. (૨૩૦)

ENG

One should respectfully associate with those who do not doubt the words of Bhagwan or the guru, and are trustworthy and wise. (230)