॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

81

प्रातः प्रतिदिनं सायं सर्वैः सत्सङ्गिभिर्जनैः।

आरार्तिक्यं विधातव्यं सस्तुति गृहमन्दिरे॥ ८१॥

GUJ

સર્વે સત્સંગી જનોએ પ્રાતઃકાળે તથા સાંજે ઘરમંદિરમાં પ્રતિદિન આરતી કરવી ને સાથે સ્તુતિનું ગાન કરવું. (૮૧)

ENG

Every morning and evening, all satsangis should perform the ārti and sing the stuti before the ghar mandir. (81)

82

उच्चैः स्वरैर्जय स्वामि-नारायणेति भक्तितः।

सतालिवादनं गेयं स्थिरेण चेतसा तदा॥ ८२॥

GUJ

આરતી સમયે ચિત્તને સ્થિર કરી ભક્તિએ સહિત, તાલી વગાડતાં અને ઉચ્ચ સ્વરે ‘જય સ્વામિનારાયણ જય અક્ષરપુરુષોત્તમ...’ એમ આરતીનું ગાન કરવું. (૮૨)

ENG

While performing the ārti, one should devoutly sing aloud the ārti ‘Jay Swaminarayan, Jay Akshar-Purushottam…’ with a steady mind and while clapping. (82)

83

यैव रसवती पक्वा मन्दिरे तां निवेदयेत्।

उच्चार्य प्रार्थनं भक्त्या ततः प्रसादितं जमेत्॥ ८३॥

GUJ

જે રસોઈ બનાવી હોય તે મંદિરમાં ધરાવવી અને પ્રસાદીભૂત થયેલ ભોજન ભક્તિભાવપૂર્વક પ્રાર્થના બોલીને પછી જમવું. (૮૩)

ENG

Offer whatever food has been prepared [to the murtis] in the ghar mandir and after devoutly reciting prayers, eat the sanctified meal. (83)

84

हरयेऽनर्प्य न ग्राह्यम् अन्नफलजलादिकम्।

शुद्धौ शङ्कितमन्नादि नाऽद्यान्नेशे निवेदयेत्॥ ८४॥

GUJ

ભગવાનને અર્પણ કર્યા વગર અન્ન, ફળ કે જલાદિ ગ્રહણ ન કરવું. જેની શુદ્ધિને વિષે શંકા હોય તેવાં અન્નાદિ ભગવાનને ન ધરાવવાં અને ન જમવાં. (૮૪)

ENG

One should not consume foods, fruits, water and other items without first offering them to Bhagwan. Foods and other items that may be impure should not be offered to Bhagwan nor should they be eaten. (84)

85

कीर्तनं वा जपं कुर्यात् स्मृत्यादि वा यथारुचि।

गृहमन्दिरमास्थाय भावतः स्थिरचेतसा॥ ८५॥

GUJ

ઘરમંદિરમાં બેસીને ભાવે કરીને સ્થિર ચિત્તે કીર્તન, જપ કે સ્મૃતિ વગેરે પોતાની રુચિ અનુસાર કરવું. (૮૫)

ENG

While sitting in front of the ghar mandir, one should, with devout feelings and concentration, sing kirtans, chant and engage in smruti or other acts of devotion according to one’s preferences. (85)

86

संभूय प्रत्यहं कार्या गृहसभा गृहस्थितैः।

कर्तव्यं भजनं गोष्ठिः शास्त्रपाठादि तत्र च॥ ८६॥

GUJ

ઘરના સભ્યોએ ભેગા થઈ રોજ ઘરસભા કરવી અને તેમાં ભજન, ગોષ્ઠિ તથા શાસ્ત્રોનું વાંચન ઇત્યાદિ કરવું. (૮૬)

ENG

Family members should gather daily for ghar sabhā and engage in bhajan, discussions, scriptural reading and other devotional activities. (86)

87

शुद्धोपासनभक्तिं हि पोषयितुं च रक्षितुम्।

भक्तिं मन्दिरनिर्माणरूपां प्रावर्तयद्धरिः॥ ८७॥

GUJ

શ્રીહરિએ શુદ્ધ ઉપાસના-ભક્તિનાં પોષણ અને રક્ષણ માટે મંદિર નિર્માણરૂપ ભક્તિનું પ્રવર્તન કર્યું. અને ભગવાનની જેમ જ તેમના ઉત્તમ ભક્ત એવા અક્ષરબ્રહ્મની ભગવાનની સાથે સેવા કરવા માટે આજ્ઞા કરી. (૮૭-૮૮)

ENG

Shri Hari inspired the creation of mandirs as a form of devotion to foster and protect pure upāsanā and bhakti. He instructed that, along with Bhagwan, one should also serve his supreme devotee, Aksharbrahman, in the very same manner that one serves Bhagwan. (87–88)

88

तथैवाऽऽज्ञापयामास सेवार्थं हरिणा सह।

तस्य चोत्तमभक्तस्य तस्येवैवाऽक्षरस्य च॥ ८८॥

GUJ

શ્રીહરિએ શુદ્ધ ઉપાસના-ભક્તિનાં પોષણ અને રક્ષણ માટે મંદિર નિર્માણરૂપ ભક્તિનું પ્રવર્તન કર્યું. અને ભગવાનની જેમ જ તેમના ઉત્તમ ભક્ત એવા અક્ષરબ્રહ્મની ભગવાનની સાથે સેવા કરવા માટે આજ્ઞા કરી. (૮૭-૮૮)

ENG

Shri Hari inspired the creation of mandirs as a form of devotion to foster and protect pure upāsanā and bhakti. He instructed that, along with Bhagwan, one should also serve his supreme devotee, Aksharbrahman, in the very same manner that one serves Bhagwan. (87–88)

89

वर्तत उत्तमो भक्तो ब्रह्म भगवतोऽक्षरम्।

नित्यं मायापरं नित्यं हरिसेवारतं यतः॥ ८९॥

GUJ

અક્ષરબ્રહ્મ ભગવાનના ઉત્તમ ભક્ત છે, કારણ કે તેઓ નિત્ય માયાપર છે અને નિત્ય ભગવાનની સેવામાં રમમાણ હોય છે. (૮૯)

ENG

Aksharbrahman is Bhagwan’s supreme devotee because he eternally transcends māyā and is forever engrossed in Bhagwan’s service. (89)

90

मन्दिराणां हि निर्माणं तदाज्ञामनुसृत्य च।

दिव्यानां क्रियते भक्त्या सर्वकल्याणहेतुना॥ ९०॥

GUJ

તે આજ્ઞાને અનુસરીને સર્વનું કલ્યાણ થાય તે હેતુથી દિવ્ય મંદિરોનું નિર્માણ ભક્તિભાવથી કરવામાં આવે છે અને તેના મધ્યખંડમાં પુરુષોત્તમ ભગવાનની મૂર્તિની સાથે અક્ષરબ્રહ્મની મૂર્તિ પણ વિધિવત્ સ્થાપવામાં આવે છે. (૯૦-૯૧)

ENG

To fulfill this ordinance and to grant moksha all, divine mandirs are devoutly constructed and the murti of Aksharbrahman is also ceremoniously consecrated with Purushottam Bhagwan in the central shrines [of these mandirs]. (90–91)