વચનામૃત નિરૂપણ

ગઢડા પ્રથમ ૨૦

જાન્યુઆરી ૧૯૬૪. સવારની કથામાં વચનામૃત ગઢડા પ્રથમ ૨૦ ઉપર ધ્યાન દોરતાં સ્વામીશ્રીએ કહ્યું: “ચિંતામણિ મળી ને કોરા કેમ રહી ગયા? સત્પુરુષના સંબંધવાળાને ગાફલાઈ નથી રહેવા દેતા. મોટાપુરુષને ન ઓળખ્યા તે અજ્ઞાની. મનુષ્યભાવ પરઠે તે અતિ અજ્ઞાની. કોઈ સંકલ્પ વગર દિવ્યભાવ રહે તે જ્ઞાની. જિંદગીમાં મનુષ્યભાવ ન પરઠાય તે વિશેષ જ્ઞાની.

“સભામાં ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા, તેને ઓળખવાની વાત હતી. તે વખતે ક્યાં ગેડ બેસે? જીવાત્માને શોધે; પણ સાક્ષાત્ ગુણાતીત બેઠા છે, તેને ઓળખવાની મહારાજની વાત હતી. ‘ગુણાતીત મારો આત્મા છે’ એમ માન્યું હોત, તો ઘેલામાં ન કહેવાત. જેને સત્પુરુષ સાચા માન્યા તેને આ વાત મનાય. ભડકો જોવાનું સૌને તાન.”

અહીં સ્વામીશ્રી સમયની સાથે ભૂતકાળમાં પહોંચી ગયા અને મહારાજની સભામાં ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા, એમને ઓળખવાની વાત સમજાવી. પોતે પણ એ પ્રસંગના સાક્ષી છે તેમજ આજે પણ એ જ બોલી રહ્યા છે – એમ પણ પોતાની એકતા જણાવી.

એ જ વચનામૃતમાં શબ્દો આવ્યા: “સ્વરૂપને જોવું એટલે શું?” એ સમજાવતાં કહે, “એમાં આપોપું કરવું. જોડાવું.” વળી પૂછ્યું:

“ભગવાનનો પ્રતાપ શું? મહિમા. પ્રકાશ એટલે પણ મહિમા.”

“જીવાત્મા માયાવેષ્ટિત છે. તેને બ્રહ્મનો સંબંધ થાય એટલે તે પણ બ્રહ્મ થાય – માયા પર થાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૭૧]

 

પ્રમુખસ્વામી મહારાજે ગઢડા પ્રથમ ૨૦ વંચાવી અમૃતવચનો કહ્યાં, “પોતાનું સ્વરૂપ જે આત્મા તે ઓળખવું. વચનામૃત વરતાલ ૧૧માં કહ્યા પ્રમાણે સત્પુરુષને વિષે દૃઢ પ્રીતિ એ જ આત્મદર્શન. સત્પુરુષને પોતાનું સ્વરૂપ માની એને વિષે દૃઢ આત્મબુદ્ધિ ને પ્રીતિ કરવી. સત્પુરુષ પોતાનો આત્મા મનાઈ જાય પછી એમાં જ ભગવાનનાં દર્શન થશે.” (૭૦)

[સંજીવની: ૧/૭૦]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ