વચનામૃત નિરૂપણ

વરતાલ ૧

ગોંડલમાં બપોરે જમ્યા પછી વરતાલનું પહેલું વચનામૃત વંચાવ્યું. તે સમજાવતાં યોગીજી મહારાજ કહે, “ગુણાતીત સ્થિતિ શું? માન-અપમાન, સુખ-દુઃખ, હાણ-વૃદ્ધિમાં એકતા થઈ જાય. હજારો માણસ અપમાન કરે તોય કંઈ નહીં. હાર પહેરાવે તોય કંઈ નહીં.

“અચળ મતિ શું? ચળે નહીં. ‘હશે કે નહીં?’ એમ ન થાય.

“મહારાજ આંબાવાડિયામાં બેઠા હતા તે આંબાને સંભાર્યો. જ્યાં જે હોય તેને આગળ લેવા પડે. આંબાને ન સંભારે તો એને એમ થાય કે ‘મને કેમ યાદ ન કર્યો?’ મૂંઝાય.

“નિશ્ચય શું? કર્તા, સાકાર, સર્વોપરી, અક્ષરધામના પતિ આ જ સર્વોપરી ભગવાન છે.”

પછી ભરૂચના ડૉ. મગનભાઈને વચનામૃતનો સાર કહેવા કહ્યું. પોતે બોલ્યા, “શ્રીજીમહારાજ બેઠા હતા તેમાં જોડાય, તો સમાધિ હોય કે ન હોય તોય સમાધિ જ છે. મન સાથે વૈર બંધાવું. તે તો સો ઘોડા ઘડે. સત્પુરુષ એ જ આપણું મન. તો મન અમન થયું. સત્પુરુષરૂપ થઈ જાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૨૧૧]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ