વચનામૃત નિરૂપણ

ગઢડા અંત્ય ૩૧

તા. ૨૨/૭/૧૯૬૫, બોચાસણ. બપોરની કથામાં વચનામૃત ગઢડા અંત્ય ૩૧ વંચાવીને યોગીજી મહારાજ કહે, “આમાં ટાઇમ લખ્યો તે આપણને ધ્યાન ધરવા. તે વખતે દૃષ્ટિગોચર ભગવાનને સંતો શું સમજતા હશે? મહારાજ પોતે પોતાનો મહિમા સમજાવે છે કે ‘હું આવો છું!’ તે વખતે કોઈએ પૂછ્યું નહીં હોય કે ‘મહારાજ! આ વર્ણન કોનું કરો છો? આ તમારી વાત કરો છો કે બીજાની?’”

‘... ધામની મૂર્તિ ને અહીંની મૂર્તિ ગુણાતીત છે...’ એ સાંભળી માર્મિક હસીને સ્વામીશ્રી કહે, “તેમાં મનુષ્યભાવ ના લાવવો.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૯૦]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ