પ્રકરણ - ૮૬: ગઢડામાં સંતોને વિદાય શીખ

પૂર્વછાયો પછી સંતને આપી આગન્યા, જાઓ ફરવા સહુ મળી;
જ્યારે અમે તેડાવિયે, આવજ્યો તમે વળી. ૧
અણતેડ્યે નવ આવવું, વળી લોપી અમારું વચન;
હેત હોય તો હરિની મૂરતિ, ન વિસારવી નિશદન. ૨
આગન્યા વિના જે આવવું, તેમાં રાજી અમે નહિ રતિ;
વચન પ્રમાણે જે વરતે, તે ઉપર્યે પ્રસન્ન અતિ. ૩
શશી સૂરજ શેષ સિંધુ, સર્વે રહે અમારા વચનમાં;
વારિ વસુધા વહનિ, મરુત ડરે વળી મનમાં. ૪
ભવ બ્રહ્મા ભૂલે નહિ, ડરે વચનથી દિગપાળ;
સુરાસુર ઇન્દ્ર અંબા, કંપે વચનથી કાળ. ૫
તેહ સર્વે એમ જાણે, જે વડા થયા વચનથી;
એવાં વચન આજનાં, તમે જાણ્યાં છે કે જાણ્યાં નથી. ૬
એવાં વચન જો જાણો અમારાં, તો પાળો સહુ સુજાણ;
એવું ન મનાય અંતરે, તો કેમ માન્યું છે કલ્યાણ. ૭
માટે સહુ સુજાણ છો, વળી સાંભળી છે બહુ વારતા;
છોટાં મોટાં વચન અમારાં, તેને રખે વિસારતા. ૮

પ્રકરણ - ૯૭: સંતોને સંઘમાં સાથે રહેવાની વાત કરતા કહે છે

કંઈક વાર અમે કહ્યું, તમે સાંભળિયું સો વાર;
કામ પડે તે વાતનો, નથી રહેતો ઉર વિચાર. ૩

પ્રકરણ - ૯૮: વરતાલમાં સંતોને કરેલ વાતનો સાર

ચોપાઈ થાય પ્રશ્ન ને ઉત્તર અતિ, સુખ આપે સુખમય મૂરતિ;
કહે જેને મળ્યા ભગવાન, તેને કોઈ ન વ્યાપે વિઘન. ૪૭
જેમ વેજું વસુધાનું કરે, તેની ચોંટ પાછી નવ ફરે;
તેમ પ્રભુને મળતાં જન, રહેવું સદાય નિઃશંક મન. ૪૮

Selection

પ્રકરણ ૧: ગ્રંથલેખનના પ્રારંભમાં મહારાજની સહાય માગતા કહે છે પ્રકરણ ૨: સંતની સહાય માગતા વર્ણવેલ સંતમહિમા પ્રકરણ - ૩: ગ્રંથ લખવાનો ઉત્સાહ જણાવે છે પ્રકરણ - ૫: નરનારાયણ ૠષિનાં દર્શને ગયેલા ૠષિઓને પ્રથમ એકલા નરૠષિનાં દર્શન થાય છે ત્યારે ૠષિઓ કહે છે પ્રકરણ - ૧૩: રામાનંદસ્વામી ધર્મપિતાને કુસંગનો સૂક્ષ્મભેદ સમજાવે છે પ્રકરણ - ૪૧: રામાનંદસ્વામીને મુક્તાનંદસ્વામી નીલકંઠવર્ણીનો મહિમા પત્રમાં જણાવે છે પ્રકરણ - ૪૨: નીલકંઠવર્ણી સ્વવૃત્તાંત રામાનંદસ્વામીને પત્રમાં જણાવે છે પ્રકરણ - ૪૬: ગાદી સ્વીકારવાની ના પાડતા વર્ણી રામાનંદસ્વામીને ભયસ્થાન જણાવે છે પ્રકરણ - ૪૮: રામાનંદસ્વામીના ધામમાં ગયા બાદ પ્રથમ ધર્મસભામાં મહારાજે કરેલ વાત પ્રકરણ - ૪૯: સમાધિપ્રકરણ અંગે મુક્તાનંદસ્વામીની દ્વિધા પ્રકરણ - ૫૧: પરમહંસોને બાવાવેરાગી અતિ ત્રાસ આપતા તે પ્રસંગે પ્રકરણ - ૫૩: પાંચસો પરમહંસ બનાવ્યા પછી શ્રીહરિએ આપેલો ઉપદેશ પ્રકરણ - ૬૧: જેતલપુર યજ્ઞમાં મહારાજે જણાવેલ યજ્ઞનું રહસ્ય પ્રકરણ - ૬૪: સારંગપુરમાં પુષ્પદોલોત્સવે રંગે રમ્યા બાદ પ્રકરણ - ૬૮: ગઢડામાં સંતો સાથે જ્ઞાન ગોષ્ઠિ પ્રકરણ - ૭૧: વરતાલમાં જન્માષ્ટમી ઉત્સવ પ્રસંગે પ્રકરણ - ૭૬: જેતલપુરમાં રાત્રે એકાદશીમાં કરેલ વાત પ્રકરણ - ૭૭: નિષ્કુળાનંદ સ્વામીએ કહેલ લીલાનો મહિમા પ્રકરણ - ૭૯: વરતાલમાં કાર્તિક સુદ એકાદશીના સમૈયાની સભામાં કરેલ વાત પ્રકરણ - ૮૪: સંતો સાથે ગોષ્ઠિ પ્રકરણ - ૮૬: ગઢડામાં સંતોને વિદાય શીખ પ્રકરણ - ૯૭: સંતોને સંઘમાં સાથે રહેવાની વાત કરતા કહે છે પ્રકરણ - ૯૮: વરતાલમાં સંતોને કરેલ વાતનો સાર પ્રકરણ - ૧૦૨: ગ્રંથ લખતા વૃદ્ધાવસ્થામાં નિષ્કુળાનંદ સ્વામીને વિશેષ નહિ લખાય તેમ જણાતા અંતરના ઉદ્‌ગાર સરી પડે છે પ્રકરણ - ૧૦૪: મહારાજે પોતાના ભગવાનપણામાં કરેલી શંકા પ્રકરણ - ૧૦૫: પોતાના અનુભવની વાત કરતાં સંતોએ મહારાજનું સર્વોપરીપણું જણાવ્યું પ્રકરણ - ૧૦૭: નિર્લોભી વર્તમાન પ્રકરણ - ૧૧૦: નિર્માની વર્તમાન પ્રકરણ - ૧૬૪: ગ્રંથ સમાપ્તિમાં વર્ણવેલ પ્રગટનો મહિમા
loading