વચનામૃત મહિમા
ગઢડા અંત્ય ૩૮
અંતિમ મંદવાડમાં એક રાત્રે ટાઢ આવી અને ગભરામણ પણ બહુ થઈ. પછી સ્વામીશ્રી બોલ્યા, “ગઢડા મધ્ય ૯મું વચનામૃત તમામ વચનામૃતોમાં સર્વોપરી છે. ત્યાર પછી ગઢડા મધ્ય ૧૩મું આવે અને ગઢડા અંત્ય ૩૦ અને ૩૮ વચનામૃત તો જીવનપ્રાણ જેવાં લાગે છે.”
[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૨/૩૪૪]
યોગીજી મહારાજ કહે, “સ્વરૂપનિષ્ઠા અને મહિમા એ વરને ઠેકાણે છે અને બીજાં સાધન સર્વે જાનને ઠેકાણે છે. સ્વરૂપનિષ્ઠાનું વચનામૃત ગઢડા મધ્ય ૯ અને ગઢડા અંત્ય ૩૮ એ બે વચનામૃત સમજાશે ત્યારે નિષ્ઠા દૃઢ થશે. સ્વરૂપનિષ્ઠા અને આશરો દૃઢ રાખવાં.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૧૮૫]
યોગીજી મહારાજ કહે, “મધ્યનું ચોવીસમું અને છેલ્લાનું આડત્રીસમું, એ બધાં જ્ઞાનનાં સર્વોપરી વચનામૃતો છે.”
[યોગીવાણી: ૨૪/૩૦]
તા. ૯/૧/૧૯૫૭, ત્રિચિનાપલ્લીમાં યોગીજી મહારાજ વચનામૃત ગઢડા અંત્ય ૩૮મું વચનામૃત બોલ્યા અને વાત કરી કે, “આવી રીતની સર્વોપરી દૃઢ નિષ્ઠા સહિતની જો શ્રીજીમહારાજની ઉપાસના હોય તો જ બ્રહ્મરૂપ થવાય.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૧૮૯]
યોગીજી મહારાજ કહે, “સર્વોપરીપણાનું વચનામૃત છેલ્લાનું ૩૮. છેલ્લી શિખનું.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૮૨]