કીર્તન મુક્તાવલી
1-444: મન મોહ ટળે રામ મળે નિર્મળ હરિજનના સંગથી
મન મોહ ટળે રામ મળે નિર્મળ હરિજનના સંગથી
સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
પદ - ૧
મન મોહ ટળે, રામ મળે નિર્મળ હરિજનના સંગથી;
ઉર ગ્રંથિ ગળે, અવિદ્યાનાં આવરણ સર્વે નાસે અંગથી... ꠶ટેક
નિત્ય સંત સભામાંહી રામ રટે, સુણતેં વિષ વ્યાધિ ઉપાધિ ઘટે;
મન શુદ્ધ હોયે અહંભાવ મટે... મન꠶ ૧
જે સંત સભામાંહી ચલી આવે, તેનું જીવપણું તતક્ષણ જાવે;
તે બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મ ગાવે... મન꠶ ૨
દુબધા દિલ માયા પાસ દહે, નિત્ય સંત સભા મહીં રામ રહે;
એમ વેદ પુરાણ કુરાન કહે... મન꠶ ૩
જેની ગ્રંથિ ત્રણ જડમૂળ ગઈ, સત્ય પદમાં કીધો વાસ સઈ;
કહે બ્રહ્માનંદ તેનું શરણ લઈ... મન꠶ ૪