કીર્તન મુક્તાવલી

1-444: મન મોહ ટળે રામ મળે નિર્મળ હરિજનના સંગથી

મન મોહ ટળે રામ મળે નિર્મળ હરિજનના સંગથી

સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

પદ - ૧

મન મોહ ટળે, રામ મળે નિર્મળ હરિજનના સંગથી;

ઉર ગ્રંથિ ગળે, અવિદ્યાનાં આવરણ સર્વે નાસે અંગથી... ꠶ટેક

નિત્ય સંત સભામાંહી રામ રટે, સુણતેં વિષ વ્યાધિ ઉપાધિ ઘટે;

 મન શુદ્ધ હોયે અહંભાવ મટે... મન꠶ ૧

જે સંત સભામાંહી ચલી આવે, તેનું જીવપણું તતક્ષણ જાવે;

 તે બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મ ગાવે... મન꠶ ૨

દુબધા દિલ માયા પાસ દહે, નિત્ય સંત સભા મહીં રામ રહે;

 એમ વેદ પુરાણ કુરાન કહે... મન꠶ ૩

જેની ગ્રંથિ ત્રણ જડમૂળ ગઈ, સત્ય પદમાં કીધો વાસ સઈ;

 કહે બ્રહ્માનંદ તેનું શરણ લઈ... મન꠶ ૪