ભક્તિનિધિ

પદ - ૧

રાગ: આશાવરી

સંતો ભક્તિ ઉપર ભય શાનો રે સંતો ભક્તિ ઉપર ભય શાનો.

  તે તો મન કર્મ વચને માનો રે... સંતો૦ ટેક.

જપ તપ તીરથ જોગ જગન, દાન પુણ્ય સમાજ1 શોભાનો ।

પામી પુણ્ય ખૂટે પડે પાછા, તેમાં કોણ મોટો કોણ નાનો રે... સંતો૦ ॥૧॥

ધ્યાન ધારણા સમાધિ સરવે, કુંપ2 અનુપ કાચનો ।

ટકે નહિ કેદી ટોકર વાગે, તો શિયો ભરુંસો બીજાનો રે... સંતો૦ ॥૨॥

જ્ઞાની ધ્યાનીને લાગ્યા ધકા3 ધરપર,4 જાણો નથી ફજેતો એ છાનો ।

નિર્ભય પ્રાપતિ ન રહિ કેની, જોઈ લીધો દાખડો ઝાઝાનો રે... સંતો૦ ॥૩॥

સર્વે પર વિઘન સભરભર,5 નિર્ભય ભક્તિ ખજાનો ।

નિષ્કુળાનંદ કે’ ન ટળે ટાળતાં, ટળે તોય કળશ સોનાનો6 રે... સંતો૦ ॥૪॥

 

કડવું - પ

રાગ: ધન્યાશ્રી

નિરવિઘન છે નાથની ભક્તિજી, જેમાં વિઘન નથી એક રતિજી ।

સમજીને કરવી સદાય શુભ મતિજી, તો આવે સુખ અલૌકિક અતિજી ॥૧॥

રાગ: ઢાળ

અલૌકિક સુખ આવે, જો ભાવે ભક્તિ ભગવાનની ।

તે વિના ત્રિલોક સુખને, માને શોભા મિયાનની7 ॥૨॥

મૂરતિ મૂકી મન બીજે, લલચાવે નહિ લગાર ।

અન્ય સુખ જાણ્યાં ફળ અર્કનાં,8 નિશ્ચે નિરસ નિરધાર ॥૩॥

એમ માની માને સુખ માવમાં, કરે ભક્તિ ભાવે સહિત ।

ભક્તિ વિના બ્રહ્મલોક લગી, ચાહે નહિ કાંઈ ચિત્ત ॥૪॥

અનન્ય ભાવે કરે ભગતિ, મન વચન કર્મે કરી ।

ભાવે નહિ હરિભક્તિ વિના, એવી વાત અંતરમાં આવી ઠરી ॥૫॥

નિષ્કામ ભક્તિ નાથની, જેને કરવા છે મને કોડ9

બીજા સકામ ભક્ત સમૂહ હોય, તોય હોય નહિ એની હોડ10 ॥૬॥

એવી ભક્તિને આદરે, જેમાં લોકસુખ નહિ લેશ ।

તેમ સુખ શરીરનું, ઇચ્છે નહિ અહોનેશ11 ॥૭॥

મેલી ગમતું નિજ મનનું, હાથ જોડી રહે હરિ હજૂર ।

સેવા કરવા ઘનશ્યામની, ભાવ ભીતરમાં ભરપૂર ॥૮॥

ભાવે જેવું ભગવાનને, સમો જોઈ કરે તેવી સેવ ।

પણ વણસમે વિચાર વિના, ત્યાર ન થાય તતખેવ ॥૯॥

એવા ભક્તની ભગતિ, વા’લી લાગે વા’લાને મન ।

નિષ્કુળાનંદ કહે નાથજી, તે ઉપર થાય પ્રસન્ન ॥૧૦॥

કડવું 🏠 home