કીર્તન મુક્તાવલી

2-1254: જેણે જાત ઘસી સદાય વિચરી

જેણે જાત ઘસી સદાય વિચરી

સાધુ મધુરવદનદાસ

મંગલાચરણ

જેણે જાત ઘસી સદાય વિચરી, કીધું ભલું વિશ્વનું,

જેણે મંદિર સંત શાસ્ત્ર રચીને, કલ્યાણ સૌનું કર્યું;

જેણે રાજ કર્યું દિલે સકલના, શોભે ગુણો સંતના,

ભાવે જન્મ શતાબ્દીએ પ્રમુખજી, ગાઈ કરું વંદના.