વચન વિધિ

કડવું – ૩૧

હરિવિમુખ થાશે હેરાણજી, મરશે ફરશે ભરશે ચારે ખાણજી

થાશે પરવશ પરનો1 વેચાણજી,2 ત્યારે પડશે એ પાપની પે’ચાણજી3

પે’ચાણ પડશે પાપની, જ્યારે જડશે જોડા મૂંડમાં4

ત્યારે આંખ્ય ઊઘડશે, પડશે માર જ્યારે પંડમાં ॥૨॥

જાણી જોઈ જગદીશનાં, વિમુખ લોપે છે વચનને ॥

મર માણે આજ મોજને, પણ પડશે ખબર તજે તનને ॥૩॥

ટીપ5 થાશે ત્રણે કાળમાં, અન્ન વસન વિના રે’શે વનમાં ॥

રાત દિવસ રડવડશે, ત્યારે વિચારશે મનમાં ॥૪॥

શીશ ડોલાવી શોક કરશે, કે’શે ક્યાંથી વચનદ્રોહી થયો ॥

સંત ઘણું સમજાવતા, પણ હું તો દેહમાની રહ્યો ॥૫॥

કિયાં જાઉં હવે કેમ કરું, સરું6 દુઃખનું નથી આવતું ॥

મોટાની મરજાદ મૂકી, કર્યું મેં મન ભાવતું ॥૬॥

એમ પસ્તાશે પાપિયો, લેશે ફળ વચન લોપ્યાતણું ॥

દુઃખના દરિયા ઊલટશે, સુખ નહિ રહે એક અણું ॥૭॥

એમ કે’ છે આગમમાં, સંત વળી મોટા મુનિ ॥

નિષ્કુળાનંદ કે’ હરિદ્રોહી સમ, ખોળતાં વળી ન મળે ખૂની7 ॥૮॥

કડવું 🏠 home