હરિબળગીતા

કડવું – ૩૨

જેનું નામ જપ્યે આવે અઘ અંતજી, સમરતાં સુખ મળે અનંતજી ।

પામે મોટપ જપતાં જંતજી,1 એમ સમઝીને સમરે છે સંતજી ॥૧॥

ઢાળ

સંત માહાત્મ્યને સમઝી, નવ મૂકે નારાયણ નામ ।

શ્વાસો શ્વાસે તે સમરે, ઘણે હેતે ઘનશ્યામ ॥૨॥

ગજ ગુણિકા અજામિલ આદિ, ભજી નામ થયા ભવપાર ।

પતિતપાવન નામ હરિનું, એથી પામ્યા અનેક ઉદ્ધાર ॥૩॥

ધ્રુવ પ્રહ્લાદ ને દ્રૌપદી, થયાં નામ ભજીને નિઃશંક ।

પાણી ઉપર પાષાણ તર્યા, તે પણ નામને અંક2 ॥૪॥

મોટા મુનિ માળા લઈ, જપે છે નારાયણ નામ ।

રાત દિવસ રટણ કરતાં, પળ ન પામે વિરામ ॥૫॥

જોગી વસે જઈ વનમાં, ખાય ફળ ફૂલ વન પાન ।

એમ દમી નિજ દેહને, વળી ભજે છે ભગવાન ॥૬॥

મહામાલ માન્યો મને, નારાયણના નામમાંઈ ।

તેણે કરી એકતાર અંતરે, સમરે છે જો સદાઈ ॥૭॥

એવો મહિમા મૂર્તિ તણો, પ્રીછવ્યો3 બહુ પ્રકાર ।

નિષ્કુળાનંદ એ વારતા, નક્કી છે નિરધાર ॥૮॥ કડવું ॥૩૨॥

 

પદ – ૮

રાગ – ધોળ (‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ)

જેની મૂર્તિ મંગળરૂપ છે, સ્પર્શતાં પાપ પલાય4 રે ।

અનેક જન્મનાં અઘ અતિ, જેનું નામ જપતાં તે જાય રે... જેની૦ ॥૧॥

જેને દર્શને સર્વે દુષ્કૃત ટળે, બળે બહુ કર્મના કોટ રે ।

જેનું સ્મરણ કરતાં સંકટ શમે, વળી લાગે નહિ કાળની ચોટ રે... જેની૦ ॥૨॥

જેની કીર્તિને સુણતાં કાનમાં, થાય નર નિર્ભય નિદાન રે ।

જેનો મહિમા ન કે’વાય મુખથી, એવા છે એ શ્રીભગવાન રે... જેની૦ ॥૩॥

એમ સર્વે અંગે સુખદાઈ છે, મૂર્તિ જેની મનોહર રે ।

નિષ્કુળાનંદ એહ નાથને, ના’વે કોઈ બીજું સરાભર રે... જેની૦ ॥૪॥ પદ ॥૮॥

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું – ૧ કડવું – ૨ કડવું – ૩ કડવું – ૪ પદ – ૧ કડવું – ૫ કડવું – ૬ કડવું – ૭ કડવું – ૮ પદ – ૨ કડવું – ૯ કડવું – ૧૦ કડવું – ૧૧ કડવું – ૧૨ પદ – ૩ કડવું – ૧૩ કડવું – ૧૪ કડવું – ૧૫ કડવું – ૧૬ પદ – ૪ કડવું – ૧૭ કડવું – ૧૮ કડવું – ૧૯ કડવું – ૨૦ પદ – ૫ કડવું – ૨૧ કડવું – ૨૨ કડવું – ૨૩ કડવું – ૨૪ પદ – ૬ કડવું – ૨૫ કડવું – ૨૬ કડવું – ૨૭ કડવું – ૨૮ ગ્રંથ મહિમા પદ – ૭ કડવું – ૨૯ કડવું – ૩૦ કડવું – ૩૧ કડવું – ૩૨ પદ – ૮ કડવું – ૩૩ કડવું – ૩૪ કડવું – ૩૫ કડવું – ૩૬ પદ – ૯ કડવું – ૩૭ કડવું – ૩૮ કડવું – ૩૯ કડવું – ૪૦ પદ – ૧૦ કડવું – ૪૧ કડવું – ૪૨ કડવું – ૪૩ કડવું – ૪૪ પદ – ૧૧