હરિબળગીતા

કડવું – ૪

એહ વિના ઉપાય હોય કોઈ એકજી, કે’જો સહુ સમજી કરી વિવેકજી ।

એહ વિના સાધન બીજાં અનેકજી, અતિ મતિ ગતિયે નક્કી કર્યું નેકજી1 ॥૧॥

ઢાળ

નક્કી તેનો નિર્ણય કર્યો, જોઈએ નિશ્ચયનું નરને જોર ।

નાથના નિશ્ચય વિના, અતિ રહે અંધારું ઘોર ॥૨॥

પૂરણ પુરષોત્તમ પ્રગટી, નરતન ધરે નાથ ।

તેહ મૂર્તિ જેહને મળે, તે સર્વે જન સનાથ ॥૩॥

મનુષ્યાકાર અપાર સામર્થી, જેહ સમે ધરે જેહ નામ ।

તેહ નામ સમરતાં, જન થાયે પૂરણકામ ॥૪॥

જેમ વેજું2 કરે કોઈ વ્યોમનું, તેની ખાલી ન જાયે ચોટ3

તેમ નામ ઘનશ્યામને, થાય કલ્યાણ કોટ ॥૫॥

જેમ ઇંદુમાં4 અગ્નિ નહિ, નહિ અર્કમાંહી અંધાર ।

તેમ પ્રભુ પ્રગટમાં, નો’ય અમંગળ નિરધાર ॥૬॥

વિદ્યુત5 ન તજે વહનિ, શીતળતા ન તજે શ્રીખંડ ।

તેમ કલ્યાણ મહારાજમાં, રહ્યું અતિશય અખંડ ॥૭॥

એહ દૃષ્ટાંતને ઉર ધરી, રે’વું નિઃસંશય નિર્ભય વળી ।

નિષ્કુળાનંદ નિશ્ચે કહે, સત્ય માનજો સહુ મળી ॥૮॥ કડવું ॥૪॥

 

પદ – ૧

રાગ - સામેરી મલાર (‘સંત વિના સાચી કોણ કહે’ એ ઢાળ)

વિશ વશા6 એહ વાત છે, તમે સાંભળજો સહુ જન રે ।

અંતર શત્રુ અજિત છે, પળે પળે પાડે છે વિઘન રે... વિશ૦ ॥૧॥

સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, એણે લીધી છે સહુની લાજ રે ।

દેવ દાનવ માનવ મુનિ, એણે રોળિયો સુરરાજ રે... વિશ૦ ॥૨॥

નિર્દોષ જન કોઈ નજરે, નથી આવતાં નિરધાર રે ।

કામ ક્રોધ લોભ મોહમાં, સહુ એબે7 ભર્યાં અપાર રે... વિશ૦ ॥૩॥

એવા અવગુણ અવલોકીને, હરિ કરે કેનું કલ્યાણ રે ।

નિષ્કુળાનંદ તૈયે નાથને, ઠાલો ફેરો પડ્યો પરમાણ8 રે... વિશ૦ ॥૪॥ પદ ॥૧॥

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું – ૧ કડવું – ૨ કડવું – ૩ કડવું – ૪ પદ – ૧ કડવું – ૫ કડવું – ૬ કડવું – ૭ કડવું – ૮ પદ – ૨ કડવું – ૯ કડવું – ૧૦ કડવું – ૧૧ કડવું – ૧૨ પદ – ૩ કડવું – ૧૩ કડવું – ૧૪ કડવું – ૧૫ કડવું – ૧૬ પદ – ૪ કડવું – ૧૭ કડવું – ૧૮ કડવું – ૧૯ કડવું – ૨૦ પદ – ૫ કડવું – ૨૧ કડવું – ૨૨ કડવું – ૨૩ કડવું – ૨૪ પદ – ૬ કડવું – ૨૫ કડવું – ૨૬ કડવું – ૨૭ કડવું – ૨૮ ગ્રંથ મહિમા પદ – ૭ કડવું – ૨૯ કડવું – ૩૦ કડવું – ૩૧ કડવું – ૩૨ પદ – ૮ કડવું – ૩૩ કડવું – ૩૪ કડવું – ૩૫ કડવું – ૩૬ પદ – ૯ કડવું – ૩૭ કડવું – ૩૮ કડવું – ૩૯ કડવું – ૪૦ પદ – ૧૦ કડવું – ૪૧ કડવું – ૪૨ કડવું – ૪૩ કડવું – ૪૪ પદ – ૧૧