સારસિદ્ધિ

કડવું - ૨૭

પરમ ધર્મ કહિયે સારમાં સારજી, સંત સરાયે1 જેને વારમવારજી

નથી કોઈ આવતું ધર્મની હારજી, ધર્મ તે ધારી કહું નિરધારજી

નિરધાર2 સાર શોધી કહું, ધારી લેજો ધર્મની રીત ॥

જે ધર્મે અધર્મ ટળે, કહું તે ધર્મ કરી પ્રીત ॥૨॥

ધર્મ તે ધર્મસુતનાં વચન, તેહ પાળવાં પ્રીતે કરી ॥

જેને જેમ કરી આગન્યા, તે ફેરવવી નહિ ફરી ॥૩॥

આગન્યાથી અધિક બીજો, નથી આવતો ધાર્યામાંય ધર્મ ॥

તોળી તપાસી જોયું તને મને, એ જ ધર્મ છે વળી પર્મ ॥૪॥

ત્યાગી ગૃહી જન જેહને, કરી જેને તે જેમ આગન્યા ॥

તેને તે તેમ વર્તવું, નવ વરતવું વચન વિના ॥૫॥

વચનમાં જેહ વરતે, તે પરમ ધર્મ પાળનાર ॥

વચન વિરોધી જે વરતે, તે સર્વે ધર્મ ટાળનાર ॥૬॥

અવિનાશીની જે આગન્યા, તે સમજવું શુદ્ધ ધર્મને ॥

ધારી વિચારી રાખવી હૃદયે, તો પામિયે સુખ પરમને ॥૭॥

વર્ણ આશ્રમ વેદવિધિના, ધર્મ પાળે છે ધરા ઉપરે ॥

વે’વાર અર્થે વિવિધ ભાતે, પાળે છે તે બહુ પેરે ॥૮॥

પણ પરમ ધર્મ છે વાલાનાં વચન, તે કહ્યાં જેને કૃપા કરી ॥

તેહ વિના બીજાં સર્વે, પરાં મૂકવાં પરહરી ॥૯॥

મોટો ધર્મ એ માનવો, જેહ કહ્યો ધર્મને બાળ ॥

નિષ્કુળાનંદ મુખોમુખનાં વચન, ન ઉલ્લંઘવાં કોઈ કાળ ॥૧૦॥

કડવું 🏠 home