સારસિદ્ધિ

કડવું - ૩૦

મર્મ મોટો એ સમજવો મનજી, તેમાં ફેર ન પાડવો કોઈ દનજી

જતને જાળવવાં જેમ જાળવે રતનજી, ક્યાંથી મળે પ્રભુ પ્રગટનાં વચનજી

વચન ન મળે વાલા તણાં, તેમ દર્શન પણ છે દોયલાં1

તેહ મૂર્તિ મુખોન્મુખ મળી, સર્વે કામ થઈ ગયાં સોયલાં ॥૨॥

અંગોઅંગ અવલોકીને, નખશિખ જોયા નાથ નીરખી ॥

એથી પર નથી પામવું, એમ હૈયામાં ધારવું હરખી ॥૩॥

જે ધારતાં રૂપ જન જાણજો, નથી આવતું ધ્યાનીના ધ્યાનમાં ॥

તે પ્રભુ પ્રગટ મળ્યા, શી કસર રહી કહો જ્ઞાનમાં ॥૪॥

જ્ઞાની તેને ગણીએ, જેને હરિમૂર્તિનું જ્ઞાન છે ॥

તે વિના બકવાદ બીજે, એ જાણજો મોટું જ્યાન છે ॥૫॥

જેણે નથી જોયા નાથને, નજરો નજર નયણાં ભરી ॥

તે કેવા કહેશે શ્રીકૃષ્ણને, અટકળ ને અનુમાને કરી ॥૬॥

જ્ઞાન વિના જ્ઞાની નહિ, જ્ઞાન હોય તેને જ્ઞાની કહિયે ॥

સોણે2 સાધ્ય3 નથી હરિની, તો કેમ જાણશે જાગશે તૈયે ॥૭॥

તે જ જ્ઞાની તે તત્ત્વવેત્તા, જેણે પ્રગટ પ્રભુને પેખિયા4

તે વિના રખે જ્ઞાની ગણો, જેણે હરિ નયણે નથી દેખિયા ॥૮॥

ભણેલે ભાળ્યા ન હોય નાથને, અણ ભણેલે હોય અવલોકિયા5

જુવો વિચારી જીવમાં, એમાં જ્ઞાની અજ્ઞાની કેને કહ્યા ॥૯॥

જ્ઞાની તે જેને ગમ્ય6 હરિની, એમ સમજવું એહ સાર છે ॥

નિષ્કુળાનંદ કહે તેહ વિના, બીજું સર્વે અસાર છે ॥૧૦॥

કડવું 🏠 home