સારસિદ્ધિ

પદ - ૧૦

રાગ – ધોળ (‘સંત વિના સાચી કોણ કહે’ એ ઢાળ)

અનુપ સંતને આપું ઉપમા, એવું નથી જો એક;

જોઈ જોઈ જોયું મેં જીવમાં, કરી ઊંડો વિવેક..અનુપ ॥૧॥

સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, શોધે નાવે સંતને તોલ;

દીઠાં સુણ્યાં તે તો દોષે ભયાર્ં, સંત અતિ અમળ અમોલ..અનુપ ॥૨॥

સાતે દૃષ્ટાંતે સહુ સૂચવી, કહે કવિ જન કોય;

સરે સાર તેમાં શોધતાં, સંત સમ નહિ સોય..અનુપ ॥૩॥

જેવા સંત એ કહિયે શિરોમણિ, તેવા હરિ સહુ શિરમોડ;

નિષ્કુળાનંદ નિહાળતાં, ન જડે એ બેની જોડ..અનુપ ॥૪॥

 

કડવું - ૪૧

જોડ્ય નથી જડતી જગમાંયે જોતેજી, ઘણી ઘણી રીતે ઘટમાં ગરી1 ગોતેજી

બીજા અવતારના અવતારી પોતેજી, આપે આવિયા સર્વે સામર્થિ સોતેજી

સર્વે સામર્થી સહિત આવ્યા, અલબેલોજી આણી વાર2

પોતાના પ્રતાપથી, કર્યો અનેક જીવનો ઉદ્ધાર ॥૨॥

ખગ3 મૃગ4 નર નિરજર,5 ભૂત ભૈરવ પામ્યા ભવપાર ॥

સ્થાવર જંગમ જાતની, આણે સમે લીધી છે સાર ॥૩॥

દૈવી આસુરી દોયને, તાર્યા આણે સમે અગણિત ॥

ન જોઈ કરણી કોઈની, એવી નવી વર્તાવી રીત ॥૪॥

તમોગુણી રજોગુણી તારિયા, સત્ત્વગુણીને આપિયા સુખ ॥

શરણાગતને આ સમે, રહેવા દીધું નહિ દુઃખ ॥૫॥

જે જન કોઈ પ્રકારે કરીને, ઉદ્ધરવાનો આઝો6 નહિ ॥

એવા જન ઉદ્ધારિયા, તેની મોટપ્ય કેમ જાયે કહિ ॥૬॥

ધર્મ રહિત ભક્ત રહિત, વળી વૈરાગ્ય જેને છે વેરવી7

એવા પામર નર પાર કર્યા, એવી વર્તાવી વાત નવી ॥૭॥

તૃણ કાષ્ઠ ને તુંબડાં તારે, એવાં વા’ણ તો હોયે ઘણાં ॥

પણ લોહ પાષાણને તર8 ઉતારે, એહ નાવમાં નહિ મણા ॥૮॥

તેમ દૈવી મુમુક્ષુ જીવ તારે, તેનું આશ્ચર્ય શું જાણિયે ॥

પણ આસુરી પામર નર તરે, તેથી વાત બીજી શું વખાણિયે ॥૯॥

આ સમાના અવતારની, મોટપ મુખે કે’વાતી નથી ॥

નિષ્કુળાનંદ કહે જન મને, વિચારી જુવો વિધવિધથી ॥૧૦॥

કડવું 🏠 home