ધીરજાખ્યાન

કડવું – ૧

 

રાગ: ધન્યાશ્રી

સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગજીવન કહીએ જગવંદજી

શરણાગતના સદા સુખકંદજી, પરમ સ્નેહી છે પરમાનંદજી

ઢાળ:

પરમ સ્નેહી સંત જનના, છે ઘણા હેતુ ઘનશ્યામ ॥

દાસના દોષ ટાળવા, રહે છે તૈયાર આઠું જામ1 ॥૨॥

અનેક વિઘનથી લિયે ઉગારી, કરી પળેપળે પ્રતિપાળ ॥

પરદુઃખ દેખી નવ શકે, એવા છે જો દીનદયાળ ॥૩॥

નિજ દાસને દુશ્મન જન, ઘડીઘડીએ ઘાત કરે ઘણી ॥

ક્ષણુક્ષણુએ ખબર ખરી, રાખે છે હરિ તેહ તણી ॥૪॥

જેમ પડે જનને પાંસરું,2 તેમ કરે છે એ કૃપાનિધિ ॥

સુખ દુઃખ ને વળી સમ વિષમે,3 રાખે છે ખબર બહુ વિધિ ॥૫॥

જેમ પાળે જનની પુત્રને, બહુ બહુ કરી જતન ॥

એમ જાળવે નિજ જનને, બહુ ભાવે કરી ભગવન ॥૬॥

આ જગમાં જીવને વળી, હરિ સમ હેતુ4 નહિ કોય ॥

પરમ સુખ પામે પ્રાણધારી, એમ ચિંતવે શ્રીહરિ સોય ॥૭॥

જે દુઃખે થાય સુખ જનને, તે દે છે દુઃખ દયા કરી ॥

જેહ સુખે દુઃખ ઊપજે, તે આપે નહિ કે દી હરિ ॥૮॥

જેમ અનેક વિધની ઔષધિ, હોય અતિ કડવી કસાયલી5

દર્દારિ6 દિયે દર્દીને, ટાળવા ઉપાધિ બાહેર માંયલી ॥૯॥

કુપથ્ય7 વસ્તુ કે દી ન દિયે, ખાવા તે ખોટે મષે8 કરી ॥

નિષ્કુળાનંદ એમ નિજજનની, સા’ય કરે છે શ્રીહરિ ॥૧૦॥

 

 

પ્રસંગ

ભગવાનની સર્વ ક્રિયા પોતાના આશ્રિતના સુખ સારુ હોય છે

પછી રાવસાહેબે ભગતજીને કહ્યું, “આ વિજ્ઞાનદાસજી જેવા સાધુને શા માટે દુઃખ દો છો? એમને છપૈયા ન મોકલશો અને અહીં રાખો.”

ત્યારે ભગતજી કહે, “એ દુઃખ ક્યાં માને છે? એમને તો અખંડ સુખ વર્તે છે.”

પછી તેમને પૂછ્યું, “તમે ખુશીથી જાઓ છો કે નહિ?”

ત્યારે તેમણે કહ્યું, “હા, મહારાજ!”

ત્યારે ભગતજી કહે, “ભગવાન કે મોટાપુરુષ જે કંઈ કરતા હોય તે પોતાના આશ્રિતના હિત સારુ જ હોય! પરંતુ માયિક દૃષ્ટિ જ્યાં સુધી હોય ત્યાં સુધી દેહના દુઃખે દુઃખી થવાય છે. પણ મોટાપુરુષની મરજી જો જણાય, તો દુઃખ થાય જ નહિ.” એમ કહી નીચેનું પદ બોલાવ્યું:

આ જગમાં જીવને વળી, હરિ સમ હેતુ નહિ કોય;

પરમ સુખ પામે પ્રાણધારી, એમ ચિંતવે શ્રીહરિ સોય.

જે દુઃખે થાય સુખ જનને, તે દે છે દુઃખ દયા કરી;

જેહ સુખે દુઃખ ઊપજે, તે આપે નહિ કે’દિ હરિ.

[બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત]

કડવું 🏠 home
કડવું ૧ ★ કડવું ૨ કડવું ૩ કડવું ૪ પદ ૧: ભક્ત થાવું રે ભગવાનનું... ★ કડવું ૫: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૬: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૭: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૮: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૨ કડવું ૯: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૦: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૧: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૨: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૩: ભક્ત સાચા ભગવાનના... કડવું ૧૩: ધ્રુવનું આખ્યાન કડવું ૧૪: ધ્રુવનું આખ્યાન કડવું ૧૫: ધ્રુવનું આખ્યાન કડવું ૧૬: ધ્રુવનું આખ્યાન પદ ૪ કડવું ૧૭: ધ્રુવનું આખ્યાન કડવું ૧૮: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૧૯: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૦: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૫: સત્યવાદી સંત સંકટને સહે... કડવું ૨૧: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૨: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૩: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૪: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૬ કડવું ૨૫: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૬ કડવું ૨૭: રંતિદેવનું આખ્યાન★ કડવું ૨૮: રંતિદેવનું આખ્યાન★ પદ ૭: કઠણ કસોટી મોટી મહારાજની... કડવું ૨૯: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૦: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૧: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૨: મયૂરધ્વજનું આખ્યાન ★ પદ ૮ ★ કડવું ૩૩: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૪: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૫: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૬: ઋભુરાયનું આખ્યાન પદ ૯: દોયલું થાવું હરિદાસ રે સંતો... કડવું ૩૭: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૮: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૯ કડવું ૪૦: જનક રાજાનું આખ્યાન પદ ૧૦: શીદને રહિયે રે કંગાલ રે સંતો... કડવું ૪૧: નળ રાજાનું આખ્યાન કડવું ૪૨: નળ રાજાનું આખ્યાન કડવું ૪૩: નળ રાજાનું આખ્યાન કડવું ૪૪: નળ રાજાનું આખ્યાન પદ ૧૧: કરિયે રાજી ઘનશ્યામ રે સંતો... કડવું ૪૫: અંબરીષ રાજાનું આખ્યાન કડવું ૪૬: વિભીષણનું આખ્યાન કડવું ૪૭: સુધનવાનું આખ્યાન કડવું ૪૮ પદ ૧૨: ધીરજ સમ નહિ ધન રે સંતો... કડવું ૪૯: જડભરતનું આખ્યાન કડવું ૫૦: જડભરતનું આખ્યાન કડવું ૫૧: શુકદેવનું આખ્યાન કડવું ૫૨: નારદમુનિનું આખ્યાન પદ ૧૩: સાચા સંતે અત્યંત રાજી... કડવું ૫૩: સનકાદિકનું આખ્યાન કડવું ૫૪: જાજળી ઋષિનું આખ્યાન કડવું ૫૫: અરુણી/ઉપમન્યુ આખ્યાન કડવું ૫૬ પદ ૧૪: સાચા ભક્તની રીત સર્વે... કડવું ૫૭: મુદ્‌ગલ ઋષિનું આખ્યાન કડવું ૫૮ કડવું ૫૯: જયદેવનું આખ્યાન★ કડવું ૬૦: જયદેવનું આખ્યાન★ પદ ૧૫: ક્ષમાવંત સંત અત્યંત સુખ... કડવું ૬૧ કડવું ૬૨ કડવું ૬૩ કડવું ૬૪ પદ ૧૬: ધન્ય ધન્ય ધન્ય કહું સાચા સંતને... પદ ૧૭: આજ આનંદ મારા ઉરમાં...